એવું તો શું છે જે યુવાન આટલો હતાશ છે ?
પરિવાર સાથે કેમ તેનો સુમેળ ઘટતો જાય છે ?
તેની પ્રગતિ કેમ અવરોધાય છે ?
પોતાની જિંદગી, કારકિર્દી, પરિવાર વગેરે અનેક પ્રશ્નો... પણ સમાધાન ક્યાં ?
તેની વ્યવસાયિક સમસ્યાઓનું માર્ગદર્શન ક્યાં ?
આવા અનેક પ્રશ્નોના પ્રત્યુત્યર છે અહી. યુવાનની સંવેદના સાથે જોડાવું... તેની મૂંઝવણ, સમસ્યાઓના ઉકેલ માટે, તેના સ્વપ્નોને પાંખો આપવા માટે અમે મિત્ર અને માર્ગદર્શક બની રહયા છીએ. અનેક લોકો “મેં હું સમર્થ” સ્લોગન પોતાના જીવનમાં આત્મસાત કરી રહયા છે. – જેનું અમોને ગૌરવ છે.
સાંપ્રત સમયની એક સમસ્યા – યુવા પેઢી અને વાલી. માતા-પિતા અને સંતાન બંને એકબીજાના સંપર્કમાં છે પરંતુ તેઓ વચ્ચે જોડાણ થતું નથી.
પરિણામ – તણાવ...
મનોવૈજ્ઞાનિક રીતે એકમેક પ્રત્યે વધતો તણાવ દૂર કરવો, એકમેક પ્રત્યે સમજણ અને સંવાદિત વિકસાવવી, સ્નેહભાવ વધારવો એ અમારો ધ્યેય છે.